Posts

Showing posts from January, 2020

ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા “ રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત કુલ પાંચ રાજ્યોમાં ૨૮ શહેરોમાં સભાઓ , ૧૫૦ જુથ સભાઓ સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન જિજ્ઞેશ કાલાવડિયાની આગેવાનીમાં હાલ ૧૦૦થી વધુ યુવાનો દ્વારા ગામે ગામ તૈયારીઓને આખરી ઓપ અપાયોઃ ૩ ફેબ્રુઆરીએ શહીદ વીરોના પરિવારોના હસ્તે યાત્રાનું પ્રસ્થાન

Image
ભારતભરની ત્રણસોથી વધુ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા રન ફોર ભગતસિંહ અભિયાનને સમર્થન જાહેર કરવામાં આવ્યુંઃ ઠેર ઠેર ભગતસિંહને ભારત રત્નનું સન્માન અપાવવા મિટીંગનો દૌર જારીઃ સોમનાથી દિલ્હી સુધી ૧૮૦૦ કિ . મી . ની સાઈકલ રેલી યોજી રાષ્ટ્રપતિને એક લાખ સહિઓ સાથેનું આવેદન આપવામાં આવશે. ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા “ રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત કુલ પાંચ રાજ્યોમાં ૨૮ શહેરોમાં સભાઓ , ૧૫૦ જુથ સભાઓ સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન જિજ્ઞેશ કાલાવડિયાની આગેવાનીમાં હાલ ૧૦૦થી વધુ યુવાનો દ્વારા ગામે ગામ તૈયારીઓને આખરી ઓપ અપાયોઃ ૩ ફેબ્રુઆરીએ શહીદ વીરોના પરિવારોના હસ્તે યાત્રાનું પ્રસ્થાન યુ – ટ્યુબ ચેનલ , ફેસબુક , ઈન્સ્ટાગ્રામ , ટવીટર સહિતના રન ફોર ભગતસિંહના એકાઉન્ટ પર યાત્રાનું લાઈવ પ્રસારણ જોઈ શકાશે. રાષ્ટ્રવાદ , સ્વદેશી , પર્યાવરણ જાગૃતિ , વ્યસનમુક્તિ , ગ્રામ્ય અર્થતંત્ર અને ખેતીનો વિકાસ સહિતના મુદ્દે જન – જાગરણ. દિલ્હીમાં ભગતસિંહ અને ક્રાંતિકારીઓનું સ્મારક , ભગતસિંહને ‘ ભારત રત્ન ’ નું સન્માન , યુનિર્સિટીઓમાં ભગતસિંહ ચેરની સ્થાપના સહિતના અનેક મુદ્દાઓ સાથે ‘ રન ફોર ભગતસિંહ અભિયાન કરોડો યુવાનો સુધી ક્રાં...

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

Image
આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો  જન્મ દિવસ Mk news તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે Happy Birthday🎂🎈🎉🎊🎊🎁  Ravibhai Buddhadev ! God Bless Us Always🙌! 

દેશભરમાંથી આવેલા 14 દિવ્યાંગોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સુલભ પર્યટનનો કર્યો અનુભવ

Image
દેશભરમાંથી આવેલા 14 દિવ્યાંગોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સુલભ પર્યટનનો કર્યો અનુભવ કેવડિયા : ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ મંત્રાલયની એક અભિનવ પહેલ અન્વયે દેશના વિવિધ ભાગોમાંથી દિવ્યાંગજનોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા માટે પસંદ કરવામાં આવેલા ૧૪ યુથ આઇકોન્સે આજે વિશેષ પ્રવાસ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને દિવ્યાંગજનો માટે કેવડીયાનો પ્રવાસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત કેટલી સરળ અને સુગમ છે તેનો તાગ મેળવી આ દિવ્યાંગજનો અત્યંત પ્રભાવિત થઇ અત્રે ઉપલબ્ધ સુગમ્યતાઓ અંગે તેમની ખુશી વ્યકત કરી હતી. ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ વિભાગના નિયામક વિકાસ પ્રસાદે આ ખાસ પ્રવાસીઓનું નેતૃત્વ કર્યુ હતું. પ્રધાનમંત્રીએ ૨૦૧૫માં એકસેસિબલ ઇન્ડીયા કેમ્પીઇંગ શરૂ કરાવ્યું હતું, તેના ભાગરૂપે દિવ્યાંગજનો માટેનો આજનો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં પ્રસાદ સાથે દિલ્હી પીઆઇબીના અધિકારી સુપ્રભાદાસ પણ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ૨૦૧૬માં RPWD એકટ હેઠળ દેશની તમામ જાહેર જગ્યાઓ, દવાખાના, શિક્ષણ સંસ્થાઓ, જાહેર પરિવહન, રેલવે, એ...

ભરૂચ: ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સ્થાપનાદિન ની ઉજવણી

Image
ભરૂચ: ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સ્થાપનાદિન ની ઉજવણી નિમિત્તે માતરીયા તળાવ પાસે ભવ્ય લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી અભેસિંહ રાઠોડ, શ્રીમતી દમયંતીબેન બરડાઈ જેવા લોકગાયકો અને શ્રી જીતુભાઈ દ્વારકાવાળા જેવા હાસ્ય કલાકાર દ્વારા માતરીયા તળાવ ના પટાંગણમાં રમઝટ બોલાવવામાં આવી.‌જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રીદુષ્યંતભાઈ પટેલ,જિલ્લા કલેકટર શ્રી ડૉ. એમ. ડી.મોડિયા,જિલ્લા મહામંત્રીશ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી,જિલ્લાના મંત્રીશ્રી દિવ્યેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભિબહેન તમાકુવાલા , ઉપપ્રમુખશ્રી ભરતભાઇ શાહ,મુખ્ય અધિકારીશ્રી સંજયભાઈ સોની,શહેર પ્રમુખશ્રી ધનજીભાઈ ગોહિલ,મહામંત્રીશ્રી દિપકભાઇ મિસ્ત્રી,જતિનભાઈ શાહ,કારોબારી ચેરમેનશ્રી,પક્ષના નેતાશ્રી, નગરપાલિકાના વિવિધ કમિટી ના ચેરમેનશ્રીઓ,સભ્યશ્રીઓ,આમંત્રિત મહેમાનો,અધિકારીશ્રીઓ અને ભરૂચ શહેર ની જાહેર જનતા એ મોટી સંખ્યામાં હાજર રહી લોક ડાયરા ની મોજ માણી હતી..
ભરૂચ: આજે વસંત પંચમી, મહર્ષિ ભૃગુઋષિની જન્મ જયંતિ ભારતના કાશી પછીના બીજા નંબરના સૌથી પ્રાચીન શહેર ભરૂચની આજના દિવસે થઈ હતી સ્થાપના ભરૂચના સ્થાપના દિવસ નિમિત્તે સ્ટેચ્યુ પાર્કમાં નિર્માણ પામેલ સ્ટીલના પાથ વેનું લોકાર્પણ આર આર એસ ના પાયાના કાર્યકર મૂળચંદ ચૌહાણે રિબન કાપી કર્યું હતું. ભાર્ગવ સમાજ દ્વારા ભૃગુ જયંતી નિમિત્તે પૂજન અર્ચન અને કેક કટિંગ દ્વારા ઉજવણી કરાઈ આ p

ગર્વ છે હુ ભરૂચી છું

Image
કાશી પછીની બીજી સૌથી પ્રાચીન નગરી એટલે ભૃગુનગરી ( ભૃગુકચ્છ ) એટલે આજનું ભરૂચ ...આજે ભરૂચનો સ્થાપના દિવસ વસંત પંચમી ...ભરૂચની ભવ્યતા સાથે આપણા સૌનું ભરૂચ સદાય પ્રગતિના પંથે અવિરત વધ્યા જ કરે તેવી શુભકામનાઓ...હેપી બર્થડે ...💐💐💐💐🎂🎂🎂 🎈🎈🎉🎊🎊🎊 ગર્વ છે કે હું ભરૂચી છુ... 🙏🇮🇳 મનીષ કંસારા Ⓜ️ 6352918965 #Video સૌજન્ય Bharuchi Jasus 

🌻शुभ बसंत🌻

Image
🌻शुभ बसंत🌻 वीणा वादिनी वंदन प्रिय करजोड़ करूँ नतमस्तक। सृष्टि श्रृँगार है बसंतमय, करूँ चक्षु मुंद के जय जय जय। भाव प्रकट चित्त अविरल धारा झर झर बहता विशाल है, शुभ नव बसंत सुरताल है। बावरा मन मोरा चकोर ढूंढे रंगों का ओर छोर, वसुंधरा स्वंय नूतन रचनी इतना भी ना जाने चोर, शीत कटी नव ऋतु विमल ये प्रकृति का कमाल है, शुभ नव बंसत सुरताल है। रंगो की विविध  प्रणाली में, स्वंय भाव हृदय के ताल  हैं, चितचोर छुपा इस प्याली में शब्दों का भंवर भ्रमजाल है, जहाँ भोर निशा सी छवि मिली वहीं क्षितिज का गाल गुलाल है, शुभ नव बंसत सुरताल है। पुष्पों का अरूणिम धूप ले चहुँ ओर कोयलिया कुहू-कुहू धरणी अम्बर  खिलने लगें, रमणी जिया बोले  पीहू-पीहू गंधो से श्वास का संगम हो मन मस्त मगन बेहाल है, शुभ नव बंसंत सुरताल है। घनघोर घटा चित बदरा बन मुस्काये अधर और झुके नयन, फिर बारहों  मास मेरे हो बंसंत चितेरा ,चकोर कभी कवि सा मन, कभी संत ,महंत नटखट अनंत पीली सरसों फूल का छाल है शुभ नव बसंत सुर ताल है। Mk news 🌸🙏🏻🌸श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनो...

ભરૂચના સ્ટેચ્યુ પાર્કમાં નિર્માણ પામેલ સ્ટીલનાં પાથ વે નું ભરૂચના સ્થાપના દિવસ વસંત પંચમી તારીખ ~ 30 / 01 / 2020 ના રોજ લોકાર્પણ.

Image
ભરૂચના સ્ટેચ્યુ પાર્કમાં નિર્માણ પામેલ સ્ટીલનાં પાથ વે નું ભરૂચના સ્થાપના દિવસ વસંત પંચમી  તારીખ ~ 30 / 01 / 2020 ના રોજ લોકાર્પણ... નગર સેવા સદન દ્વારા રૂપિયા ૫ લાખના ખર્ચે પાથ વે નું કરાયું નિર્માણ સૌ શહેરીજનોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ છે                       સમય સવારે 9 કલાકે #Video સૌજન્ય Channel નર્મદા 

રાજતિલક સમારોહ / 51 બ્રાહ્મણો નો 51 જળ, 100 ઔષધિઓ, 14 પ્રકારની માટીથી માંધાતાસિંહનો અભિષેક, ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન.

Image
રાજકોટ:  રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહનો આજે ત્રીજો દિવસ છે. ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. સાથોસાથ રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપી રહ્યા છે. મુખ્ય યજમાન પદે માંધાતાસિંહ અને તેમના પતિની કાદમ્બરીદેવી છે. તેમજ 51 બ્રાહ્મણો દ્વારા 51તીર્થોથી આવેલા જળ અને 100 ઔષધિઓ દ્વારા માંધાતાસિંહનો અભિષેક કરવામાં આવ્યો હતો.ગઇકાલે એક વર્લ્ડ રેકોર્ડ થયા બાદ આજે પણ વધુ એકવર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. 51 બ્રાહ્મણો દ્વારાઅભિષેકનોગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.રેકોર્ડ માટે લંડનથી ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી છે. 100 પ્રકારની ઔષધિઓઓ અભિષેક રાજસુય યજ્ઞમાં 300 બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે. 100 પ્રકારની ઔષધિઓ એકત્ર કરવામાં આવી છેજેનોઅભિષેક કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજાના અભિષેક માટે ભારતની નદીઓ અને તીર્થસ્થળો સહિત 51જળના કળશએકત્ર કરવામાં આવ્યા હતા.આજ સવારથી જ બ્રાહ્મણો દ્વારા પૂજન વિધિ, સૂર્યદેવને અર્ધ્ય...

જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સહયોગથી મહિલાઓમાં પોતાના હક્ક તેમજ હિતોનું રક્ષણ કરી શકે તેવા મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ માટે ની શિબિર

Image
બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને  જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સહયોગથી મહિલાઓમાં પોતાના હક્ક તેમજ હિતોનું રક્ષણ કરી શકે તેવા મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ માટે ની શિબિર ડૉ.બાબાસાહેબ આમ્બેડકર ભવન, ભરૂચ ખાતે મહિલા આયોગના માન. અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલિયાની અધ્યક્ષતામાં યોજાઈ. જેમાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.એમ .ડી.મોડિયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભિબહેન તમાકુવાલા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

ગણેશ જયંતિ નિમિત્તે ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિર તેમજ અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

Image
28, January, 2020 આજે માગશર સુદ ચોથ ગણેશ જયંતિ. ગણેશ જયંતિ નિમિત્તે ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિર તેમજ અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું  આજે ગણેશ જ્યંતી નિમિત્તે ભરૂચના મકતમપુર સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તો ધ્વારા પૂર્ણાહુતિમાં નારિયેળ હોમી આહુતિ આપી ધન્યતા અનુભવી હતી, આ પ્રસંગે ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે ગણેશ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ના રામકુંડ ક્ષિપ્રા ગણેશ મંદિરે ગણેશ યાગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાઆરતી યોજાઇ હતી ત્યારે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતી નો લ્હાવો લીધો હતો.

ભરૂચ તાલુકાના ચાવજ મુકામે પ્રજાસત્તાક દિને પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ ઝાડેશ્વર અને લિયો ક્લબ ભરૂચ દ્વારા સાથે મળીને ધ્વજવંદન કરવામાં આવ્યું

Image
28, January, 2020 ભરૂચ  તાલુકા ના ચાવજ મુકામે 71 મા પ્રજાસત્તાક દિને પ્રાથમિક શાળામાં લાયન્સ કલબ ઝાડેશ્વર અને લિયો કલબ ભરૂચ દ્વારા સાથે મળીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.  શાળાના દિવ્યાંગ બાળકો અને રમતગમત ક્ષેત્રે ચાવજનું નામ રોશન કરનાર બાળાઓ ને બુક તથા બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ પ્રસંગે ચાવજ ગ્રામ પંચાયતના સરપંચ અપેક્ષાબેન પટેલ તથા સભ્યો  એન આર આઈ ગુલામભાઈ પટેલ પ્રિન્સીપાલ દાઉદભાઈ લાયન્સ ક્લબ ના સેક્રેટરી રશ્મિકાન્ત કંસારા ગુણવંતભાઈ દીપકભાઈ સોની યોગેશભાઈ પટેલ સાથે લિયો કલબ ના પ્રેસિડેન્ટ માનસી પટેલ તથા સભ્યો હાજર રહયા હતા. આ પ્રસંગનું ભરતભાઈ પટેલે સુંદર આયોજન કરી પોગ્રામને ચાર ચાંદ લગાવી દીધા હતા. Owner ~ Manish Kansara                      ~Bharuch~ Mobile Contact number ~ 6352918965 

રાજતિલક સમારોહ / ક્ષત્રિય સમાજની 2126 દીકરીઓ એ 9 મિનિટ અને 49 સેકંડ સુધી તલવાર રાસ લીધો, ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

Image
28, January, 2020   રાજકોટ:  રાજકોટના રાજવી પરિવારના આંગણે જ નહીં પરંતુ સમગ્ર રાજકોટવાસીઓ માટે રૂડો પ્રસંગ આવ્યો છે. 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજકોટ નહીં ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય તેવો વિશ્વ વિક્રમ યોજાયો છે.રાજતિલક સમારોહમાં ક્ષત્રિય સમાજની2126 દીકરાઓએ પરંપરાગત પોષાકમાં કાલાવડ રોડ પર આવેલા ડ્રાઇવિન સિનેમાના ગ્રાઉન્ડમાં તલવાર રાસ લીધો હતો. આ તમામ દીકરીઓએ 9 મિનિટ અને 49 સેકન્ડ સુધી સતત તલવાર રાસ લઇ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. એક મહિનાથી તલવાર રાસની તૈયારી કરવામાં આવી રહી હતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના રાજપુત સમાજની 2500 થી વધુ દીકરીઓ તલવાર રાસની પ્રેક્ટિસ કરી રહી હતી. તલવાર રાસથી નારી શક્તિના દર્શન જોવા મળ્યા હતા. પરંપરાગત પોષાકમાં રાજપુત સમાજના લોકો જોવા મળ્યા હતા. તલવાર રાસમાં રાજપુત સમાજની યુવતીઓ અને મહિલાઓ પણ સામેલ થઇ હતી. તલવાર રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માંધાતાસિંહ અને રાજવી પરિવાર હાજર રહ્યો તલવાર રાસ યોજાયો ત્યારે...